રાજ્ય સરકાર દ્વારા 26 નવેમ્બરથી પીવાના પાણીના સ્ત્રોતની સફાઇ માટેનો જાગૃતિ કાર્યક્રમ શરૂ કરાશે
Live TV
-
ભાવિ પેઢીને જળસ્રોતની સફાઇ અંગે જાગૃત કરવાનું આયોજન કરાયું. કાર્યક્રમ દરમિયાન બાળકોના આરોગ્યની ચકાસણીનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીના સ્ત્રોતની સફાઇ માટેનો જાગૃતિ કાર્યક્રમ આગામી 26 નવેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. 45 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમની વિગતવાર યોજના ઘડવામાં આવી હતી.
ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ એકના નર્મદા હોલ ખાતે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઉપસ્થિતીમાં સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. ભાવિ પેઢીને જળસ્રોતની સફાઇ અંગે જાગૃત કરવાનું આયોજન કરાયું. કાર્યક્રમ દરમિયાન બાળકોના આરોગ્યની ચકાસણીનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. આ બેઠકમાં આરોગ્ય કમિશનર જયંતી રવિ તેમજ અધિકારીઓ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને આ કાર્યકમમાં ભાગ લેનાર એન.જી.ઓ.ના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, અને આ અભિયાનને સફળ બનાવવા માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
