લોકગાયિકા ગીતા રબારીએ પ્રધાનમંત્રી બાદ CM રૂપાણી સાથે કરી મુલાકાત
Live TV
-
પ્રધાનમંત્રી બાદ તેમણે આજે રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગીતા રબારીએ પોતાના ગીતોના કારણે લોકો વચ્ચે ખૂબ નામના મેળવી છે. ગુજરાતનાં યુવાનોમાં ગીતા રબારી લોકપ્રિય ચહેરો છે.
ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા બાદ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળ્યા હતા. ગીતા રબારી 8 જુલાઈના રોજ દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમના માટે 'રોણા શેરમા' ગીત પણ ગાયું હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ગીતા રબારીના ગીત રોણા શેરમાને યૂટ્યુબમાં 25 કરોડ વ્યુઝ મળ્યા છે. જેના બાદ તેમણે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી મોદીના આશિષ લીધા હતા. પ્રધાનમંત્રીએ પણ ગીતા રબારીને મળ્યા બાદ ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે, ગીતા રબારી જેવા યુવાનો આપણા સમાજ માટે પ્રેરણા સમાન છે.