લોકસભાની ચુંટણીને લઈને ગાંધીનગર-પાટણ બાદ સુરેન્દ્રનગરમાં ભાજપનું કલસ્ટર સંમેલન
Live TV
-
ભારતીય જનતા પાર્ટીએ , લોકસભાની ચુંટણીનો ધમધમાટ શરૂ કર્યો છે. 26 લોકસભાની બેઠકોને આવરી લેતાં ક્લસ્ટર સંમેલન શરૂ કર્યાં છે. ગાંધીનગર, પાટણ અને હવે સુરેન્દ્રનગર ખાતે આ સંમેલન યોજાયું હતું. જેમાં લોકસભાની ચુંટણી અંગેનું મંથન કરવામાં આવ્યું હતું.
ભાજપના ટોચના નેતાઓ , અને ગુજરાતના પ્રભારી ઓમ માથુરની ઉપસ્થિતીમાં યોજાયેલા ક્લસ્ટર સંમેલનમાં , મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું. વિજય રૂપાણીએ કહ્ુયં હતું , કે પાર્ટીનો સંદેશો , જનજન સુધી પહોંચાડવામાં આવશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિકાસના કાર્યોને , લોકો સુધી પહોંચાડવાનું કામ , પાયાના કાર્યકરોએ પણ કરવું પડશે. તેમણે કોંગ્રેસ પર પ્રહારો પણ કર્યા હતાં.