વડોદરામાં કરજણ તાલુકાના ઉરદ ગામમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ નહીં
Live TV
-
એક તરફ રાજ્યના તમામ જિલ્લાઓ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. તો બીજી તરફ વડોદરા જિલ્લામાં કરજણ તાલુકાના ઉરદ ગામમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. માત્ર 1 હજારની વસતી ધરાવતા આ ગામના લોકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાનને સાર્થક કર્યું છે. તો આ ગામને કોરોનામુક્ત રાખવામાં શિક્ષકો, આશાવર્કર્સ અને આંગણવાડીમાં કામ કરતા કર્મચારીઓનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સાથે જ ગામની પ્રાથમિક શાળામાં સામુહિક કોવિડ કેર સેન્ટર પર શરૂ કરવામાં આવ્યું છે. ગામમાં અત્યાર સુધી 135 રેપિટ એન્ટિજન અને 30 RT-PCR સહિત 165 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ એક પણ વ્યક્તિ કોરોના સંક્રમિત થયો નથી.
