વડોદરામાં 550મી ગુરુનાનક દેવજીની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું
Live TV
-
વડોદરામાં શીખ સમુદાય દ્વારા 550મી ગુરુનાનક દેવજીની જન્મ જયંતિ નિમિત્તે સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
વડોદરામાં શીખ સમુદાય દ્વારા 550મી ગુરુનાનક દેવજીની જન્મ જયંતિ નિમિત્તે એક દપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નાનકવાડી ગુરદ્વારા ગ્રંથસાહેબની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું
વડોદરામાં શીખ સમુદાય દ્વારા 550 મી ગુરુનાનક દેવજીની જન્મ જયંતિ નિમિત્તે એક દપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નાનકવાડી ગુરદ્વારા ગ્રંથસાહેબની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું હતુ. શોભાયાત્રા ખંડેરાવ માર્કેટ થી નીકળી છાણી ખાતે આવેલ ગુરુદ્વારા ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના સભ્યો જોડાયા હતા.
શીખ ધર્મના સ્થાપક ગુરુનાનક દેવજી જેઓ ૧૫મી એપ્રિલ 1469માં પાકિસ્તાનમાં આવેલ ખાતે જન્મ થયો હતો અને તેઓની જયંતિ કારતક માસના દિવસે ઉજવવામાં આવે છે તેઓએ આપેલ મંત્ર સતનામ પૂરક ને ધારણ કરીને આજે શીખ સમુદાયના હજારો લોકો તેમને બતાવેલ રસ્તે ચાલતા થયા છે તેઓની 550 ની જન્મ જયંતી ને વડોદરાના શીખ સમુદાયે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવી હતી વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે આવેલ ગુરુદ્વારા ખાતેથી મોટી સંખ્યામાં લોકોએ શોભાયાત્રા ની શરૂઆત કરી હતી મહત્વની વાત એ પણ રહી છે કે આ શોભાયાત્રા દરમિયાન બહેનો દ્વારા જાહેર રાજમાર્ગને પાણીથી ધોવા માં આવ્યો હતો અને એ જ માર્ગ પરથી ગુરુ ગ્રંથસાહેબ જીના અખંડ પાઠ સાથે સવારી ને લઈ જવામાં આવી હતી. માર્કેટ ગુરુદ્વારા નાનકવાડી ગુરુજી ની સુંદર પાલખીમાં 5 પ્યારે ની આગેવાની હેઠળ શોભાયાત્રા ની શરૂઆત થઈ હતી જેમાં સંતો મહંતો સાચે સેવકો અને શિખ સમુદાયના લોકો જોડાયા હતા ગુરુ વાણી નું શું મધુર અને બેન્ડવાજાના તાલે શોભાયાત્રા ને કારણે શહેરનું વાતાવરણ પવિત્ર બન્યું હતું અને નગરજનોએ આ ભવ્ય શોભાયાત્રા ને નિહાળી હતી.ખંડેરાવ માર્કેટ થી નીકળેલી શોભાયાત્રા છાની ખાતે આવેલ મોટા ગુરુદ્વારા ખાતે પૂર્ણ થઇ હતી. આ ઉઓરણત પાંચ દિવસ સુધીન કીર્તન, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વ ધર્મસભા નું પણ આયોજન કરવામાં આવનાર છે.
