'વાયુ' વાવાઝોડું આવતીકાલ સુધીમાં ગુજરાતમાં ત્રાટકશે
Live TV
-
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતીકાલ સુધીમાં વાવાઝોડું વાયુ ત્રાટકી શકે છે.આ વાયુ વાવાઝોડાની આશંકાના પગલે સમગ્ર તંત્રને સતર્ક કરી દેવાયું છે. સૌરાષ્ટ્ર-ક્ચ્છ, દક્ષિણ ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ-દમણ અને દાદરાનગર હવેલી સહિત અનેક જગ્યાઓ પર ભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સેના 14 સાથો સાથ એસ.ડી.આર.એફ. 11 ટીમ અને બી.એસ.એફ.ને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જે વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે તેવા વિસ્તારોના લોકોને સુરક્ષીત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડા વાયુને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબધિત કેન્દ્રીય મંત્રાલયો અને મોસમ વિભાગ સાથે સંબંધીત એજન્સીઓની ઉચ્ચકક્ષાની બેઠક બોલાવી હતી. બેઠક બાદ વરિષ્ઠ અધિકારીઓને આ સંદર્ભે દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. અને જણાવ્યું છે કે, સંભવીત વાવાઝોડાથી લોકોને નુકસાન ન પહોંચે