વ્યાપારીઓ-ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે જૂનાગઢમાં યોજાઈ નાફેડની બેઠક
Live TV
-
નાફેડના ઉચ્ચ અધિકારીઓ રહ્યાં ઉપસ્થિત ખેડૂતો અને વેપારીઓને સાંભળીને તેમની મુશ્કેલીઓ દૂર કરવાનો કર્યો પ્રયાસ
નાફેડ દ્વારા ખરીદી કરાયેલ મગફળી નું વેચાણ 11 ફેબ્રુઆરી થી શરૂ થવાનું છે. જેને લઈને જૂનાગઢ માં નાફેડના અધીકારી અને ઓઇલ મીલરો અને બ્રોકર્સની એક બેઠક મળી હતી. જેમાં વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીમાં સૌરાષ્ટ્ર ભરના ઓઇલ મીલરો અને બ્રોકરોની એક ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મગફળી ખરીદીમાં પડતી મુશ્કેલી મુદ્દે નાફેડના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના પ્રશ્ન સાંભળ્યા હતા.