સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી એરફોર્સના જવાનોની સાયકલ રેલી
Live TV
-
સાયકલ રેલીમાં એરફોર્સના જોડાયા પરિવારના 56 સભ્યો
પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તા. ૮ મી ઓક્ટોબર, ૨૦૧૯ ને મંગળવારના રોજ એરફોર્સ વાયુસેના દિવસની થનારી ઉજવણી નિમિત્તે એરમાર્શલ બી.એસ.ક્રિષ્નાના નેતૃત્વ હેઠળ ગાંધીનગર ખાતેથી સાઈકલ રેલી યોજાઈ હતી.
તા. ૭મીએ પ્રધાનમંત્રી “ફિટ ઇન્ડીયા મુવમેન્ટ”નો સંદેશો આપતી એરફોર્સના અધિકારીશ્રીઓ, એરફોર્સના જવાનો અને એરફોર્સની વાયુ સંગીનીઓ સાથે પ્રારંભાયેલી સાયકલ રેલી બપોરના કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચી હતી. આ સાયકલ રેલીમાં એરફોર્સના પરિવારના ૫૬ જેટલા સભ્યો જોડાયાં છે અને મહિલાઓ પણ જોડાઈ હતી. જેઓને આ સાઇકલ યાત્રામાં ખુબ મજા આવી હતી.