CM રૂપાણીએ ધોરડો ખાતે અખિલ ભારતીય પરિષદને ખૂલ્લો મૂક્યો
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી.મુખ્યમંત્રીએ કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને સાકાર કરવા ગુજરાતે પ્રવાસનના માધ્યમથી લીડ લીધી છે.ગુજરાતે ટ્રેડિશન, ટેલેન્ટ અને ટ્રેડના ત્રણ T મંત્રથી પ્રવાસન વિકાસને નવી ઉંચાઈ આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ , દેશના રાજ્યના પ્રવાસન સચિવની અખિલ ભારતીય પરિષદ ખૂલ્લી મૂકતા જણાવ્યું હતું , કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ભારત - શ્રેષ્ઠ ભારત સંકલ્પનાને સાકાર કરવા ગુજરાતે પ્રવાસન માધ્યમથી લીડ લીધી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું , કે માનવ સંસ્કૃતિની સદીઓ પુરાણી સભ્યતા , સંસ્કૃતિને ઉજાગર કરવા , પુરાતત્ત્વીય સ્થળોનો વિકાસ થાય તે માટે પ્રધાનમંત્રી દ્વારા , દેશના પાંચ સ્થળો પૈકી , ગુજરાતમાં આવેલા લોથલ અને ધોળાવિરા આઈકોનિક સ્થળ તરીકે પ્રસ્થાપિત થાય તે માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતે ટ્રેડિશન, ટેલેન્ટ અને ટ્રેડના ત્રણ ટી મંત્રથી પ્રવાસન વિકાસને નવી ઊંચાઈ આપી છે. આ પ્રસંગે કેન્દ્રિય પર્યટન મંત્રી પ્રહલાદ સિંહ પટેલ , અને કેન્દ્રિય મંત્રી જવાહર ચાવડા પણ ઉપસ્થિત રહ્યાં હતા.