Skip to main content
Settings Settings for Dark

બિહારમાં ઈન્સેફેલાઈટિસથી 112 બાળકોનાં મૃત્યુ, કરાઈ જાહેર હિતની અરજી

Live TV

X
  • બિહારમાં ઈન્સેફેલાઈટિસથી 112 બાળકોનાં અત્યારસુધી મૃત્યુ થઈ ચૂક્યાં છે. આ મામલે દાખલ થયેલી જાહેર હિતની અરજી પર સુપ્રિમ કોર્ટ જલ્દી સુનાવણી કરવા તૈયાર

    બિહારમાં ઈન્સેફેલાઈટિસથી 112 બાળકોનાં અત્યારસુધી મૃત્યુ થઈ ચૂક્યાં છે. આ મામલે દાખલ થયેલી જાહેર હિતની અરજી પર સુપ્રિમ કોર્ટ જલ્દી સુનાવણી કરવા તૈયાર છે. આ મામલાની સુનાવણી 24 જૂન સોમવારના રોજ થશે. આ મામલે બે વકીલોએ જાહેર હિતની અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવ્યા અનુસાર પ્રભાવિત વિસ્તારોમાં કેન્દ્ર અને બિહાર સરકારે 500 ICU સ્થાપિત કરવા અને મેડિકલ એકસ્પર્ટ ટીમ મોકલવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે જ 100 મોબાઈલ ICU મુઝ્ફરપુર મોકલવામાં આવશે અને મેડિકલ બોર્ડ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારે પણ આ મામલે ચિંતા દર્શાવી છે. બાળ ચિકિત્સકો અને પેરામેડિકલ ટીમોને મુઝફ્ફરપુર મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર એક રિસર્ચ ટીમ પહેલા જ મુઝફ્ફરપુર મોકલી ચૂકી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને મુઝફ્ફરપુરની મુલાકાત લીધી હતી અને તમામ ઈલાજની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply