સ્વાસ્થ્ય મંત્રીનું આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાવવા આહવાન
Live TV
-
સ્વાસ્થ્ય મંત્રીએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે આ મુદ્દે વાતચીત પણ કરી હતી અને તેમને જણાવ્યું હતું આ યોજનાનો ફાયદો દેશના વંચિત લોકોને મળવો જોઇએ.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધને દિલ્હી, ઓડિશા, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને પત્ર લખીને તેમના રાજ્યમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાવવાનું આહવાન કર્યું છે. આ સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત ગરીબ અને અત્યંત સંવેદનશીલ દસ કરોડ સીતેર લાખ પરિવારને પાંચ લાખ રૂપિયા વાર્ષિક સ્વાસ્થ્ય અંગેના ખર્ચ માટે આપવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રીએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે આ મુદ્દે વાતચીત પણ કરી હતી અને તેમને જણાવ્યું હતું આ યોજનાનો ફાયદો દેશના વંચિત લોકોને મળવો જોઇએ. હર્ષવર્ધને તેમના પત્રમાં જણાવ્યું કે, 32 રાજ્યો, અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આ યોજના લાગૂ થઈ ગઈ છે.