ચીનમાં કોરોના વાઇરસનો કહેર, 1110 લોકોના થયા મોત
Live TV
-
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરાના વાયરસને પગલે ચીનમાં હાલત અતિ ગંભીર થઈ રહી છે. ચીનમાં અત્યારસુધીમાં કોરોના વાયરસના પગલે મૃત્યુ પામનારાઓની સંખ્યાં 1,110 પર પહોંચી ગઈ છે.
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરાના વાયરસને પગલે ચીનમાં હાલત અતિ ગંભીર થઈ રહી છે. ચીનમાં અત્યારસુધીમાં કોરોના વાયરસના પગલે મૃત્યુ પામનારાઓની સંખ્યાં 1,110 પર પહોંચી ગઈ છે.વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHO એ મંગળવારે કહ્યું કે, ઘાતક કોરોના વાયરસ આધિકારીક નામ હશે. કોનો અર્થ કોરોના, વીનો અર્થ વાયરસ અને ડીનો અર્થ ડીઝીઝ એટલે કે બિમારી છે. આ વાયરસની ઓળખ પહેલી વખત 31 ડિસેમ્બર 2019ના રોજ ચીનમાં થઈ હતી.WHOએ દુનિયા માટે ગંભીર ખતરો ગણાવ્યો છે. ઓસ્ટ્રેલિયા, ચીન, ફ્રાન્સ,. જર્મની., અને અમેરિકાની અનેક કંપનીઓ અને સંસ્થાન કોરોના વાયરસની રસી બનાવવાનો પ્રયાસ કરી રહી છે. સંયુક્ત આરબ અમીરાતમાં વસી રહેલા એક ભારતીય કોરોના વાયરસથી પ્રભાવિત થયાનું નિદાન થયું છે. બીજી તરફ જાપાની ક્રુઝ શીપ પર સવાર લોકોમાં 138 ભારતીયોનો સમાવેશ થાય છે. આ ક્રુઝ શીપમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ વાયરસથી સંક્રમિત થઇ રહ્યા હોવાથી શીપ જાપાનના કિનારે લાંગરેલું છે. જોકે સફર કરી રહેલા ભારતીયો પૈકી કોઇ સંક્રમિત થયાના અહેવાલ નથી. જાપાન ખાતેનું ભારતીય દૂતાવાસ, શીપમાં સફર કરી રહેલા 138 પ્રવાસીઓના સંપર્કમાં છે.