થાઈલેન્ડમાં શંકાસ્પદ વિદ્રોહી હુમલામાં 15 લોકોના મોત
Live TV
-
થાઈલેન્ડના હિંસાગ્રસ્ત દક્ષિણી વિસ્તારમાં શંકાસ્પદ વિદ્રોહીઓના હુમલામાં લગભગ 15 લોકોના મોત થયા છે. દક્ષિણી સેનાના પ્રવક્તાએ આ હુમલા અંગે માહિતી આપી હતી.
સેનાના જણાવ્યા પ્રમાણે, 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બે લોકોનો હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયા હતા અને એકનું મોત આજે સવારે થયું હતું.
થાઈલેન્ડના મલય મુસ્લિમ બહુમતી ધરાવતા દક્ષિણી ભાગમાં હિંસા ચરમપંથીઓથી પ્રભાવિત છે, જેમાં છેલ્લા 15 વર્ષમાં 7000થી વધુ લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગના લોકો સામાન્ય નાગરિક હતા.