પુલવામાં થયેલા આતંકી હુમલાની અમેરિકાએ કરી આલોચના
Live TV
-
અમેરિકી રાજદૂત, નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલી, ફ્રાન્સ, શ્રીલંકા, અને ભૂતાને , આ કાયરતા ભરેલા હુમલાની આલોચના કરી છે. રશિયન દુતાવાસે પણ એક નિવેદનમાં , શહીદોના પરિવારો પ્રતિ સંવેદના જાહેર કરી છે.
પુલવામાંના અવંતિપુર ખાતે , CRPF ની ટુકડી પર થયેલા આતંકવાદી હુમલાની , અમેરિકાએ આલોચના કરી છે. અમેરિકી રાજદૂત, નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલી, ફ્રાન્સ, શ્રીલંકા, અને ભૂતાને , આ કાયરતા ભરેલા હુમલાની આલોચના કરી છે. રશિયન દુતાવાસે પણ એક નિવેદનમાં , શહીદોના પરિવારો પ્રતિ સંવેદના જાહેર કરી છે. ઇઝરાયલ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પણ , હુમલાની આલોચના કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી , એન્ટોનિયો ગુટેરેસે પણ , આતંકવાદી હુમલાની ભારે આલોચન કરી છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ, હુમલામાં જીવ ગુમાવનાર સૈનિકોના પરિવાર પ્રતિ , સંવેદના વ્યક્ત કરી હતી.