ભારત અને કંબોડિયાએ સંસ્કૃતિ, વન્ય જીવન અને આરોગ્ય ક્ષેત્રે ચાર કરારો પર હસ્તાક્ષર કર્યા
Live TV
-
ભારત અને કંબોડિયાએ સંસ્કૃતિ, વન્ય જીવન અને આરોગ્ય ક્ષેત્રે ચાર સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આસિયાન – ભારત શિખર સંમેલનમાં જણાવ્યું હતું કે, ભારત અને દક્ષિણ–પૂર્વ એશિયા વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક ક્ષેત્રે ગાઢ સંબંધો છે તેમજ ભારત–આસિયાન સંબંધ ભારતની પૂર્વીય નીતિનો મુખ્ય આધારસ્તંભ છે. આસિયાન–ભારત મૈત્રીના 30 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, આ ત્રણ દાયકામાં સંપર્ક ઉપરાંત જળવાયુ પરિવર્તન, સુરક્ષા, અંતરિક્ષ, શિક્ષણ, ટેકનોલોજીથી વ્યાપાર સુધી સહયોગના ક્ષેત્રે બહુપક્ષીય અને બહુઆયામી વૃદ્ધિ થઈ છે. ધનખડે નોમ પેન્હમાંકંબોડિયાના પ્રધાનમંત્રી હુન સેન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન ભારત અને કંબોડિયા વચ્ચે ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા.
