મેલેશિયામાં ભૂસ્ખલનની ઘટનામાં મૃતકોની સંખ્યા 21 પર પહોંચી
Live TV
-
મલેશિયાના શિલાંગે રાજ્યમાં બટાંગકાલી શિબિર સ્થળ પર ભૂસ્ખલન થી 21 લોકોના મોત થયા છે. આ બનાવ બાદ મલેશિયાની રાહત અને બચાવ ટુકડી શિલાંગે રાજ્યમાં જીવીત બચી ગયેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે. સ્થાનિક માહિતી અનુસાર ફાયરબ્રિગેડ તેમજ અન્ય એજન્સીઓ દ્વારા શોધખોળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લગભગ 400 જેટલા કર્મચારીઓએ શુક્રવારે 12 જેટલા લાપત્તા લોકોને શોધીકાઢવા માટે ખોદકામ કર્યું હતું. શુક્રવારે વહેલી સવારે ઝાલાન જેટીંગ બટાંગ કલી પાસે ફાધર્સ ઓર્ગેનીક ફાર્મમાં કેમ્પ સાઇટ પર ભૂસ્ખલન થયું હતું. તે સમયે સ્થળ પર 100 થી વધુ લોકો ઉપસ્થિત હોવાની માહિતી મળી હતી. જેમા એક પ્રાથમિક વિદ્યાલયના 20 થી વધુ શિક્ષકો અને તેમના પરિવારના લોકોનો સમાવેશ થાય છે.
