વિદેશ સેવા આપતા 1,000થી વધુ ભારતીય શાંતિ રક્ષકોને UN મેડલથી થયા સન્માનિત
Live TV
-
UNMISS માં સેવા આપતા 1,000થી વધુ ભારતીય શાંતિ રક્ષકોને UN મેડલથી સન્માનિત કરવામાં આવ્યા
દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં સેવા આપતા 1,000થી વધુ ભારતીય શાંતિ રક્ષકો - UNMISS ને વિશેષ સેવા માટે સંયુક્ત રાષ્ટ્ર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. એક ટ્વિટમાં, દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્રના મિશનએ જણાવ્યું હતું કે, 1171 ભારતીયોને દક્ષિણ સુદાનના અપર નાઇલમાં તેમના નોંધપાત્ર કાર્ય માટે યુએન મેડલ એનાયત કરવામાં આવ્યા છે. મિશનએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય સૈન્ય ટુકડી નિર્ણાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સમારકામ અને નિર્માણમાં તેના પ્રયત્નો માટે જાણીતી છે. આ સિવાય ભારતીય સેના નાગરિકોની સુરક્ષામાં પણ નોંધપાત્ર ફાળો ભજવી રહી છે.
