સુદાન : એક સિરામિક કારખાનામાં LPG ટેન્કરમાં વિસ્ફોટ, 23ના મોત
Live TV
-
દૂતવાસના પ્રતિનિધિ ઘટના સ્થળે પહોચી ગયા હતા
સુદાનમાં એક સિરામિક કારખાનામાં LPG ટેન્કરમાં થયેલ વિસ્ફોટમાં 18 ભારતીયો સહિત 23 લોકોના મોત થયા છે અને 130 ઘાયલ થયા છે. ભારતીય દૂતાવાસે એક નિવેદન બહાર પાડતા જણાવ્યું કે તાજા પરંતુ અપષ્ટ રિપોર્ટ અનુસાર 18 લોકોના મોત થયા છે. અમુક ગુમ થયેલ લોકો મૃતકોમાં સામેલ હોઇ શકે છે. જેની જાણકારી હજુ મળી શકી નથી કારણે શબ બળી ગયા છે. વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વિટ કરીને જણાવ્યું કે દૂતવાસના પ્રતિનિધિ ઘટના સ્થળે પહોચી ગયા હતા. ખાર્તુમમાં ભારતીય દૂતાવાસે 24 કલાકની હોટલાઇટ , +249-921917471 સ્થાપિત કરવામાં આવી છે. દૂતાવાસે બુધવારે એ ભારતીયોની સૂચિ બહાર પાડી છે જે હોસ્પિટલમાં છે. આંકડા અનુસાર 7 લોકો હોસ્પિટલમાં છે. જેમાંથી 4 લોકો ગંભીર છે. જ્વલનશીલ પદાર્થોનો અનુચિત રીતે સંગ્રહ કરવામાં આવ્યો હતો જેના કારણે આગ લાગી હતી. તો ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ હતુ અને મૃતકોના સ્વજનોને સંવેદના પાઠવી હતી. તેમજ પ્રધાનમંત્રીએ શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.