અંદાજપત્ર એ નાગરિકોની આશા અને આકાંક્ષાઓ સંતોષવાનો પ્રયાસ છે : પ્રધાનમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતનું અંદાજપત્ર એ દેશના નાગરિકોની આશા અને આકાંક્ષાઓ સંતોષવાનો પ્રયાસ છે અને નાણાં મંત્રી નિર્મળા સીતારામણ નાગરિકોની આ આકાંક્ષાઓ પૂર્ણ કરશે તેવો તેમને વિશ્વાસ છે. સંસદના અંદાજપત્રના આરંભ પહેલાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ દૌપદ્રી મુર્મૂ પહેલીવાર સંસદની સંયુક્ત બેઠકને સંબોધવાના હોવાથી બજેટ સત્રનો પહેલો દિવસ ખૂબ જ અગત્યનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિનું સંબોધન આપણા દેશનું બંધારણ અને સંસદીય વ્યવસ્થાની દૃષ્ટિએ ગૌરવની વાત છે.
