અમરનાથ યાત્રા આજથી જમ્મુ કશ્મીરના બાલતાલ અને પહલગામથી શરૂ
Live TV
-
જમ્મુ કાશ્મીરમાં બાલતાલ અને પહલગામ માર્ગોથી વાર્ષિક પવિત્ર અમરનાથ યાત્રા આજથી શરૂ થઈ છે.
જમ્મુ કાશ્મીરમાં બાલતાલ અને પહલગામ માર્ગોથી વાર્ષિક પવિત્ર અમરનાથ યાત્રા આજથી શરૂ થઈ છે. 62 દિવસ સુધી ચાલનારી યાત્રાને સફળ બનાવવા વહીવટી તંત્ર તરફથી યાત્રીઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે. આ અગાઉ ગતરોજ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ જમ્મુના ભગવતી નગર ખાતેના બેઝ કેમ્પથી યાત્રાળુઓના પ્રથમ જુથને લીલી ઝંડી આપી હતી. આ બેચમાં 3 હજાર 400 થી વધુ યાત્રાળુઓ જોડાયા હતા.
