આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે, 23 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં કુલ 17 બેઠકો થશે
Live TV
-
સત્ર દરમિયાન 31 બિલ રજૂ થઈ શકે છે.
આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે અને આગામી 11મી ઓગસ્ટ સુધી ચાલશે. 23 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં કુલ 17 બેઠકો થશે. આ સત્રમાં જૈવ વૈવિધ્ય સુધારા વિધેયક, ડિજીટલ વ્યક્તિગત માહિતી રક્ષણ વિધેયક, વન જતન સુધારા વિધેયક જેવા મહત્વના વિધેયકો રજૂ થાય તેવી સંભાવના છે.
ચોમાસુ સત્ર પહેલા થયેલ સર્વદળીય બેઠક થઈ હતી. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે, સત્ર દરમિયાન 31 બિલ રજૂ થઈ શકે છે. આ સર્વદળીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને પિયૂષ ગોયલ, કોંગ્રેસના જયરામ રમેશ, સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવ, આમ આદમી પાર્ટી નેતા સંજય સિંહ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
