ઉત્તરપ્રદેશના ઔરૈયામાં માર્ગ અકસ્માતમાં 24 શ્રમિકોના થયાં મૃત્યુ, 38 લોકો ગંભીર રીતે ઘાયલ
Live TV
-
ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં રાતે સાડા ત્રણના સુમારે સર્જાયેલી માર્ગ દુર્ઘટનામાં, 24 શ્રમિકોના મૃત્યુ થયા હતા અને 38 શ્રમિકો ગંભીરરીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને ઔરૈયા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજસ્થાન તરફથી આવી રહેલા શ્રમિકો ટ્રકમાં વતન તરફ આગળ વધી રહ્યા હતા. ઘટના સ્થાને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ બનાવ અંગેની જાણ થતાં સ્થાનિક જિલ્લા તંત્ર તેમજ પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પ્રારંભિક રિપોર્ટ અનુસાર શ્રમિકોને લઇને આવી રહેલી ડીસીએમને ટ્રકે ટક્કર મારતાં 24 લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય 38 લોકો ઘાયલ થયા છે. બધા ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
