ઉત્તરપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કમલારાની વરુણનું કોરોનાને કારણે નિધન, PMએ દુઃખ વ્યક્ત કર્યુ
Live TV
-
2017 માં ઘાટમપુર બેઠક પરથી ભાજપના પ્રથમ ધારાસભ્યની પસંદગી કરીને વિધાનસભા પહોંચ્યા હતા
રવિવારે યોગી સરકારમાં કેબીનેટ મંત્રી કમલા રાની વરુણનું કોરોના ચેપને કારણે અવસાન થયું હતું. યોગી સરકારમાં કેબિનેટ મંત્રી કમલ રાણી વરુણના અવસાનને કારણે ઉત્તર પ્રદેશમાં રવિવારે સરકારી શોક જાહેર કરાયો હતો..બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાને કેબિનેટ મંત્રી શ્રીમતી કમલા રાણી વરૂણ જીની આત્માની શાંતિ માટે આયોજીત શોક સભાને સામૂહિક શ્રદ્ધાંજલિ અર્પી હતી. સ્વર્ગસ્થ આત્માને શાંતિ મળે અને સામૂહિક શ્રદ્ધાંજલિ આપીને પરિવાર અને સમર્થકોને સમર્થન મળે તે માટે ભગવાનને પ્રાર્થના.પ્રધાનમંત્રીએ ટ્વીટર પર કમલારાની વરુણના નિધન પર દુઃખ વ્ચક્ત કર્યુ હતુ..તેમણે લખ્યુ છે કે કમલા રાનીજીનું સંપૂર્ણ જીવન સમાજ સેવા પ્રત્યે સમર્પિત રહ્યુ..ઉત્તરપ્રદેશમાં ભાજપને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને સમર્થકો સાથે છે.મહત્વનુ છે કે કમલા રાની વરુણજી વર્ષ 2017 માં ઘાટમપુર બેઠક પરથી ભાજપના પ્રથમ ધારાસભ્યની પસંદગી કરીને વિધાનસભા પહોંચ્યા હતા.
