ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિક બનવા શીખ આપી
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓને ઇનોવેશન અપનાવીને ઉદ્યોગસાહસિક બનવા અને પોતાનો વ્યવસાય શરૂ કરવા હાકલ કરી હતી. નવી દિલ્હીમાં જામિયા મિલિયા ઇસ્લામિયાના શતાબ્દી દીક્ષાંત સમારોહને સંબોધતા, તેમણે વિદ્યાર્થીઓને આર્થિક રાષ્ટ્રવાદના માર્ગ પર પોતાને દિશામાન કરવા કહ્યું.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણમાં લોકોના સંસાધનો બહુ મોટી ભૂમિકા ભજવે છે અને રાજકારણ દ્વારા સશક્ત બનવાને બદલે યુવાનોએ સ્વસ્થ વાતાવરણ અને સમાજનું નિર્માણ કરવા માટે પોતાની ક્ષમતા અને વ્યક્તિત્વનું નિર્માણ કરવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે લોકશાહીમાં પરસ્પર ચર્ચા જરૂરી છે તેમજ તેમણે ઉમેર્યું કે અવરોધો ઉભા કરવા અને પરસ્પર મતભેદો ઉભા કરવા એ લોકતાંત્રિક મૂલ્યોની વિરુદ્ધ છે.
