ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે જયપુરના પ્રવાસે, શૈક્ષણિક મુદ્દે ચર્ચા કરવામાં આવશે
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ MNIT કેમ્પસમાં વૃક્ષારોપણ કરશે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે જયપુરના પ્રવાસે જશે. ઉપરાષ્ટ્રપતિ જયપુરમાં માલવીય રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાન- MNIT શિક્ષાવિદ સંવાદ બેઠક: રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020માં મુખ્ય મહેમાન તરીકે શામેલ થશે. જગદીપ ધનખડ પ્રવાસ દરમિયાન પંડિત મદન મોહન માલવીયની પ્રતિમા પર માલ્યાર્પણ કરશે અને MNIT કેમ્પસમાં વૃક્ષારોપણ કરશે. ત્યારપછી શિક્ષા, રમત અને ઉદ્યમિતા ક્ષેત્રે સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને પ્રોત્સાહિત કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને MNITના શિક્ષકો તથા શૈક્ષણિક સંસ્થાનોના કુલપતિઓ, નિદેશક, પ્રધાનાચાર્ય અને વિભાગના પ્રમુખો વચ્ચે શૈક્ષણિક મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ના અમલીકરણ વિશે વિચાર રજૂ કરશે.
