કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશના વૃંદાવન ખાતે બાંકે બિહારી મંદિરમાં કર્યા દર્શન
Live TV
-
ઉત્તરપ્રદેશમાં પહેલા અને બીજા ચરણનો ચૂંટણી પ્રચાર પૂરજોશમા ચાલી રહ્યો છે. ત્યારે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ ચૂંટણીપ્રચાર કરવા ઉતરપ્રદેશની મુલાકાતે છે. તેમણે વૃંદાવન ખાતે બાંકે બિહારી મંદિરમાં દર્શન કર્યા હતા.અને પૂજા-અર્ચના કરી હતી. તેઓ મથુરામાં પ્રભાવી મતદાર સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે. અને નોઇડામાં પણ કેટલાક સાર્વજનિક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ ગૌતમ બુદ્ધનગરના દાદરીમાં ડોર ટૂ ડોર પ્રચાર પણ કરશે.
