કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરાના ધર્મનગરથી ભારતીય જનતા પાર્ટીની જન વિશ્વાસ યાત્રાને લીલીઝંડી આપી
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ત્રિપુરાના ધર્મનગરથી ભારતીય જનતા પાર્ટીની જન વિશ્વાસ યાત્રાને લીલીઝંડી આપી હતી. આ યાત્રા 8 દિવસ ચાલશે. જેનો મુખ્ય ઉદ્દેશ પાર્ટી અને લોકો વચ્ચે સંવાદ સાધવાનો છે. જનસભાને સંબોધિત કરતા મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દેશ અને ત્રિપુરા વિકાસ કરી રહ્યા છે. જયારે 3 દશકથી ત્રિપુરામાં શાસન કરતી કોમ્યુનિસ્ટ પાર્ટીએ ત્રિુપુરાની સમસ્યાનું સમાધાન કર્યું નથી. આ ઉપરાંત ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સાહા સહિતના મંત્રીઓએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું.
