27 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે "પરિક્ષા પે ચર્ચા" વાર્તાલાપ
Live TV
-
આ વર્ષે "પરિક્ષા પે ચર્ચા" 27 જાન્યુઆરીએ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક પરીક્ષાર્થીઓને "પરિક્ષા પે ચર્ચા" વાર્તાલાપમાં ભાગ લેવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, "પરીક્ષા પે ચર્ચાએ સૌથી રોમાંચક કાર્યક્રમો પૈકીનો એક છે, જે પરીક્ષાઓને તણાવમુક્ત બનાવવાની રીતો પર ચર્ચા કરવાની અને અમારા #ExamWarriorsને ટેકો આપવાની તક આપે છે. હું આ મહિનાની 27મી તારીખના કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું અને તમને બધાને આમાં ભાગ લેવા વિનંતી કરું છું.
