Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારે પુરાતત્વીય સર્વેક્ષણ હેઠળ સુરક્ષિત 820 સ્મારકો ખોલવાની આપી મંજૂરી 

Live TV

X
  • દેશમાં 3,691 સંરક્ષિત સ્મારકો અને પુરાતત્વીય સ્થળો છે, જે ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણની દેખરેખ હેઠળ આવે છે

     

    સંસ્કૃતિ મંત્રાલયે ભારતના પુરાતત્વીય સર્વેક્ષણ હેઠળ સુરક્ષિત આઠ સો અને વીસ સ્મારકો ખોલવાની મંજૂરી આપી છે, જેની અંદર પૂજા સ્થાનોનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાને કહ્યું કે આ સ્મારકોમાં ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી તમામ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે. આમાં ઓડિશામાં 46 ધાર્મિક સ્થળો શામેલ છે.

    પરંતુ ઓડિશા સરકારના વિશેષ રાહત કમિશનરે એક સૂચનામાં કહ્યું છે કે રાજ્યના તમામ ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ, હોટલ અને રેસ્ટોરન્ટ આ મહિનાની 30 મી તારીખ સુધી બંધ રહેશે, પરંતુ હોટલ અને રેસ્તોરન્ટથી હોમ ડિલિવરી ચાલુ રહેશે.

    સંસ્કૃતિ મંત્રાલયે ભારતના પુરાતત્વીય સર્વેક્ષણને પણ સંબંધિત રાજ્યોને આ 820 સ્મારકોની સૂચિ પ્રદાન કરવા જણાવ્યું છે જેથી તેઓ કોવિડ -19 ના પ્રસારને રોકવા સંબંધિત વિશેષ આદેશોનો અમલ કરી શકે. દેશમાં 3,691 સંરક્ષિત સ્મારકો અને પુરાતત્ત્વીય સ્થળો છે, જે ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણની દેખરેખ હેઠળ આવે છે. આ સાઇટ્સ કોરોના ચેપને જોતાં 17 માર્ચથી બંધ કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply