કોરોનાને લઈને દેશમાં લોકોએ હજુ પણ સતર્ક રહેવું, કોરોનાની ભ્રામક માહિતીથી દૂર રહેવું: ડૉ. મનસુખ માંડવીયા
Live TV
-
કોરોનાને લઈને કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ વારે વારે મ્યુટેડ થાય છે અને દર વખતે તેનું સ્વરુપ બદલે છે. બદલાયેલા વાયરસના લક્ષણો શું હશે તેને લઈને સરકારી સૂત્રો દ્વારા જે માહિતી આપવામાં આવે તેને જ સાચી ગણવી અને કોરોનાની ભ્રામક માહિતીથી દૂર રહેવાની લોકોને સલાહ આપી હતી. આ સાથે કોરોનાને લઈને સમાજમાં ભયનો માહોલ ફેલાય તેવી વાતોથી દૂર રહેવા પણ અનુરોધ કર્યો હતો. કોરોનાને લઈને દેશમાં લોકોએ હજુ પણ સતર્ક રહેવાની જરુર છે. આ ઉપરાંત ચીનમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. જે અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચિંતા વ્યકત કરી છે. WHOએ ચીનને કોવિડ સંબંધિત ડેટા આપવા જણાવ્યું હતું. WHOએ કહ્યું કે તે વૈશ્વિક સ્તરે કોવિડની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ચીનનમાં કોરોનાના વધતા કેસથી ભારત પણ એલર્ટ મોડ પર છે. વિદેશથી આવતા મુસાફરોના કોરોના રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે.
