કોરોના મહામારી : કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ આજે બિહારની મુલાકાતે
Live TV
-
આ ટીમમાં રોગ નિયંત્રણના રાષ્ટ્રીય કેન્દ્રના નિયામક ડો. સિંઘ અને નવી દિલ્હીના એઈમ્સના મેડિસિન વિભાગના પ્રોફેસર નીરજ નિશ્ચલ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની ટીમ આજે બિહારના કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યની મુલાકાતે છે.આ ટીમમાં રોગ નિયંત્રણના રાષ્ટ્રીય કેન્દ્રના નિયામક ડો. સિંઘ અને નવી દિલ્હીના એઈમ્સના મેડિસિન વિભાગના પ્રોફેસર નીરજ નિશ્ચલ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અશ્વનીકુમાર ચૌબેએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર બિહારની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને બંને સરકારોએ કોરોના નિયંત્રણ માટે તમામ સંભવિત પગલા લીધા છે. તેમણે એમ પણ કહ્યું કે, બિહારમાં તપાસ, ચેપના ક્ષેત્રો અને હોટસ્પોટ્સની ચર્ચા કરવામાં આવી છે.
દરમિયાન, રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 233,300 થઈ ગઈ છે. તેમાંથી 1,742 કેસ નવા છે. મોટાભાગના નવા કેસો પટના, ભાગલપુર અને સિવાનના છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 14,997 દર્દીઓ સાજા થયા છે, જ્યારે આઠ હજાર 129 સારવાર હેઠળ છે.બિહારના કોરોનાથી રિકવરી દર 64 ટકા છે. રાજ્યમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં 197 લોકોનાં મોત નીપજ્યાં છે.
