ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે શનિવારના રોજ સર્વ પક્ષીય બેઠક બોલાવી
Live TV
-
મણિપુરમાં છેલ્લાં દોઢ મહિનાથી હિંસાના બનાવો નોંધાયા છે.
ગૃહમંત્રી અમિત શાહે મણિપુરની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવા માટે 24 જૂનના રોજ નવી દિલ્હી ખાતે સર્વ પક્ષીય બેઠક બોલાવી છે. ઉત્તર–પૂર્વીય રાજ્ય મણિપુરમાં છેલ્લાં દોઢ મહિનાથી હિંસાના બનાવો નોંધાયા છે. ગૃહમંત્રી અમિત શાહે ગત મહિને મણિપુરની મુલાકાત લઈને રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા માટે સમાજના વિવિધ વર્ગના લોકોને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મેઇતી સમુદાય દ્વારા કરાયેલ અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગણી વિરૂધ્ધ ત્રીજી મેના રોજ આદિવાસી એકતા રેલી યોજવામાં આવી હતી ત્યારબાદ થયેલી હિંસામાં 100 થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.
