ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરશે
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી હિંસાના છૂટાછવાયા બનાવો બની રહયા છે. ગૃહમંત્રી અમિત શાહે ગયા મહિને મણિપુરની મુલાકાત દરમિયાન રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે વિવિધ જૂથના લોકોને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે સસ્પેન્શન ઓફ ઓપરેશનના કરારના કોઈપણ પ્રકારના ઉલ્લંઘન અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેને કરારના ભંગ તરીકે ગણવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહે જેમની પાસે હથિયારો છે તે પોલીસને સોંપી દેવા પણ અનુરોધ કર્યો હતો.
