ચંદ્રયાન-3 પૃથ્વીની કક્ષા છોડી સફળતા પૂર્વક ચંદ્ર તરફ આગળ વધ્યું
Live TV
-
પૃથ્વીની પરિક્રમા કરીને ચંદ્ર તરફ રવાના થયુ ચંદ્રયાન-3, 5 ઓગષ્ટે તે ચંદ્રમા ની કક્ષામા પહોચશે
ઇસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3 ને પૃથ્વીની કક્ષાથી ચંદ્ર તરફ મોકલ્યું છે. ઇસરોએ જણાવ્યું કે ચંદ્રયાન-3 એ પૃથ્વીની પરિક્રમા પૂર્ણ કરી છે. અને તેને પ્રાંસલુનર કક્ષામા સ્થાપિત કરવામાં આવ્યું છે. હવે 5 ઓગષ્ટે તે ચંદ્રમા ની કક્ષામા પહોચશે અને 23 ઓગષ્ટે ચંદ્રમા પર લેન્ડીંગ કરશે. જે માટે બેંગલુરૂમાં ઉપસ્થિત ઇસરોના હેડક્વાર્ટરથી વૈજ્ઞાનીકોએ ટ્રાન્સલુનર ઇન્જેકશન માટે ચંદ્રયાનનું એન્જીન કેટલાક સમય માટે ચાલુ કર્યું હતું. એન્જીન ફાયરીંગ ત્યારે કરાયું જ્યારે ચંદ્રયાન પૃથ્વીથી 236 કિલોમીટરના અંતરે હતું. ભારતીય અંતરીક્ષ એજન્સીએ જણાવ્યું હતું કે તેઓ 5 ઓગષ્ટ 2023ના રોજ લુનર ઓબેટે ઇન્સર્સન પ્રક્રિયાને ચલાવશે. ચંદ્રયાન-3મા એક પ્રણોદન મોડ્યુલ એક લેન્ડર અને એક રોવર સામેલ છે.
