Skip to main content
Settings Settings for Dark

ચારધામ યાત્રાના ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટર 19 મે સુધી બંધ રહેશે, ટોકન સિસ્ટમ કાર્યરત રહેશે

Live TV

X
  • ઉત્તરાખંડની ચારધામ યાત્રા દરમિયાન ભક્તોની સુવિધા માટે હરિદ્વાર અને ઋષિકેશમાં ખોલવામાં આવેલા ઑફલાઇન રજિસ્ટ્રેશન કાઉન્ટર 17 મેથી 19 મે સુધી બંધ રહેશે. આ નિર્ણય ધામોમાં અગાઉથી નોંધાયેલા ભક્તોને સલામત અને સુવિધાજનક દર્શન આપવાના હેતુથી લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલના ડિરેક્ટર સુમિત પંતે આ વાતની પુષ્ટિ કરી છે.

    ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. આ સાથે, ભક્તો તેમની નોંધાયેલ તારીખે દર્શનનો લાભ મેળવી શકશે. આ જ ક્રમમાં ધામોમાં દર્શનની ટોકન સિસ્ટમ પણ સુચારૂ કામ કરી રહી છે. જેના કારણે ભક્તોને સરળતાથી દર્શનનો લાભ મળી રહ્યો છે. 

    પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર, રજીસ્ટ્રેશન બાદ ધામોમાં પહોંચ્યા બાદ શ્રદ્ધાળુઓ દર્શન માટે ટોકન મેળવી શકશે અને સમય પ્રમાણે દર્શનની સુવિધા મેળવી શકશે. ભક્તોને અપીલ છે કે તેઓ નોંધણી વગર યાત્રા ન કરે અને નોંધાયેલી તારીખે જ ધામમાં પહોંચે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply