ચીન, હોંગકોંગ, જાપાન અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે RTPCR તપાસ ફરજિયાત
Live TV
-
આ તપાસ ભારત યાત્રાનો આરંભ થાય તે અગાઉ 72 કલાકની અંદર કરાવેલી હોવી જોઈએ.
આજથી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે RTPCR તપાસ ફરજિયાત કરવામાં આવી છે. પ્રવાસીઓ યાત્રાનો આરંભ કરે તે અગાઉ એર સુવિધા પોર્ટલ પર પોતાનો રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, આ તપાસ ભારત યાત્રાનો આરંભ થાય તે અગાઉ 72 કલાકની અંદર કરાવેલી હોવી જોઈએ. આ આવશ્યકતા ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના આગમન સમયે બધા મુસાફરો માટે કરાતા બે ટકા તપાસ ઉપરાંતની રહેશે. મંત્રાલયે જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં કોવિડના વધતા જતાં કેસોને ધ્યાનમાં લઈને આ નિર્ણય છે.
