જાણો કોણ છે પી. કે. રોઝી જેનુ ગુગલે આજે ડુડલ બનાવ્યુ સન્માન કર્યું
Live TV
-
ગુગલ દ્વારા આજે પી.કે. રોઝી માટે એક ડુડલ રાખનામાં આવ્યુ છે. પી. કે. રોઝી એ મલયાલમ સિનેમાના એક મહાન એભિનેત્રી છે. તેમનો જન્મ ત્રિવેન્દ્રમના નંદકોડમાં 10 ફેબ્રુઆરી 1903 ના રોજ થયો હતો. તેમને મલયલમ સિનેમાના પહલા અભિનેત્રી માનવામાં આવે છે. તેમણે તમિલ અને મલયાલમના મિશ્રણમાં તમિલ લોક થિયેટરનું એક સ્વરૂપ કક્કરીસી નટ્ટકામનો અભ્યાસ કર્યો હતો. તેમણે 1928 થી વિગથુકુમારનની ફિલ્મોમાં અભિનયની શરુઆત કરી હતા. તેમણે ફિલ્મમાં સરોજિની નામની નાયર મહિલાનું પાત્ર ભજવ્યું હતું. વિગથુકુમારનને મુક્ત કરવામાં આવ્યા, ત્યારે નાયર સમુદાયના સભ્યો એક દલિત મહિલાને નાયરનું ચિત્રણ કરતા જોઈને ગુસ્સે થયા હતા. કારણ કે તે ફિલ્મમાં કેટલાક એવા દ્રશ્યો હતા જે કારણે પ્રેક્ષકોને તેમની ફિલ્મ પર વાધાઓ ઉઠાવ્યા હતા. રોઝીની તેમની પહેલી ફિલ્મના ઓપનીંગના ઉદ્ધાટનમાં જ આમંત્રણ આપવામાં આવ્ચું ન હતું, પરંતુ તો પણ રોઝી કોઈની પર્વા કર્યા વિના થિયેટરમાં પોતાની હાજરી નોંધાવી હતી.
