દક્ષિણ કશ્મીરના કંગન પુલવામામાં જૈશ એ મોહમ્મદના ત્રણ આતંકી ઠાર મરાયા.
Live TV
-
દક્ષિણ કશ્મીરના કંગન પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલા એંકાઉન્ટરમાં આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ત્રણ આતંકી ઠાર મરાયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓના મૃત દેહોને સુરક્ષા દળે પોતાના કબજામાં રાખ્યા છે. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને ગોળા બારૂદ પણ જપ્ત કરાયા છે. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ અથડામણમાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અથડામણ પૂર્વે પુલવામાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
