દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,933 નવા કેસ, અત્યાર સુધીમાં 2 લાખથી વધુ દર્દીઓ થયાં સાજા
Live TV
-
દેશભરમાં કોરોનાના વાઈરસના સંક્રમણથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં 4 લાખ 40 હજાર 450 સંક્રમણના કેસ નોંધાઈ ચુક્યાં છે જેમાંથી 2 લાખ 48 હજાર 137 દર્દીઓ સંક્રમણમુક્ત થઈને સ્વસ્થ થયાં છે.
છેલ્લાં 24 કલાકમાં દેશમાં 14 હજાર 933 કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 3 હજાર 721 કેસ નોંધાયા હતાં, તો 113 દર્દીઓનાં મોત થયાં છે. જ્યારે દિલ્હીમાં 2 હજાર 909 કેસ નોંધાયા છે જેમાંથી 58 લોકોનાં મોત થયાં છે.
આમ દેશમાં છેલ્લાં 24 કલાકમાં 312 લોકોનાં મોત થયાં છે, તો અત્યાર સુધીમાં કુલ 14 હજાર 15 લોકોએ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 10 હજાર 879 દર્દીઓ સ્વસ્થ થયાં છે. હાલ 1 લાખ 78 હજાર 247 સક્રીય સંકમિત કેસ સારવાર હેઠળ છે.
