નાગરિકતા સંશોધન મુદ્દે વિપક્ષની ખુલી પોલ : કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ
Live TV
-
કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા બોલાવાયેલી બેઠકથી SP, BSP, TMC અને આપ રહ્યા અળગા
નાગરીકતા સુધારા કાયદાનો વિરોધ કરવાના મુદે કોંગ્રેસ વિપક્ષને એક કરવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસે સીએએ સહિત ધણા મુદે વિપક્ષી દળોની બેઠક બોલાવી હતી, જેમાં તમામ દળ પહોચ્યા ન હતાં. બેઠકમાં તૃણમુલ કોંગ્રેસ, બીએસપી, આમ આદમી પાર્ટી અને શિવસેના જેવા પક્ષ આવ્યા ન હતાં.
વિપક્ષની પાર્ટી બાદ કેન્દ્રીય મંત્રી રવીશંકર પ્રસાદે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કહયું કે, 20 પાર્ટીની બેઠક બાદ એક પ્રસ્તાવ પસાર થયો છે. બેઠકમાં કોંગ્રેસ સિવાય કોઇ મુખ્ય વિરોધી પાર્ટી સામેલ ન હતી, જેનાથી વિપક્ષની એકતાની હવા નીકળી ગઇ છે. વિપક્ષની બેઠકમાં જે પ્રસ્તાવ પસાર થયો તેનાથી પાકિસ્તાન બેહદ ખુશ છે.