નાણામંત્રી નિર્મલા સિતારમને G20 દેશોના નાણામંત્રીઓની ત્રીજી બેઠકમાં લીધો ભાગ
Live TV
-
નાણામંત્રીએ કોવિડ-19 મહામારીમાં લોકોની મદદ માટે ભારત સરકાર તરફથી થયેલા નીતિગત ઉપાયોની માહિતી આપી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે G-20 દેશનાં નાણામંત્રીઓની ત્રીજી બેઠકમાં ભાગ લીધો હતો.. જેમાં નાણાંમંત્રીએ કોરોના મહામારીના પગલે વૈશ્વિક આર્થિક પરિદ્રશ્ય પર ચર્ચા કરતા પોતાની વાત રજુ કરી હતી.. નાણામાંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામેની લડાઈ એ આપણી સામુહીક પ્રતિબદ્ધતા છે.. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મહામારીના સંકટને જોતા પ્રયાસ, પ્રાસંગિક અને પ્રભાવી બની રહેવું જોઈએ.. નાણામંત્રીએ કોરોના મહામારી દરમિયાન લોકોની મદદ માટે ભારત સરકાર તરફથી કરાયેલા મહત્વકાંક્ષી ઉપાયોનું વર્ણન કર્યું હતું.. તેમણે આ સંદર્ભમાં સરકારના 255 અબજ ડોલરના આર્થિક પેકેજનો પણ ઉલ્લેખ કર્યો હતો.
