પંજાબ અને હરિયાણાની વડી અદાલતે રાજ્ય સરકારને નોટીસ પાઠવી
Live TV
-
પંજાબ અને હરિયાણાની વડી અદાલતે હરિયાણાના નૂહ જીલ્લામાં કોમી તોફાનો બાદ હાથ ધરાયેલ કથિત દબાણ દૂર કરવાની કાર્યવાહી સામે હવે પછીના આદેશ સુધી મનાઇ હુકમ ફરમાવ્યો છે.
અદાલતે રાજ્ય સરકારને આ મુદ્દે નોટીસ પાઠવી છે. આ કાર્યવાહીથી અસરગ્રસ્તોના વકીલ મહમ્મદ અહશદે કરેલી દલીલો સાંભળ્યા બાદ અદાલતના ન્યાયાધીશ ગુરમિત સિંહ સંધાવાલિયાએ આ મુજબ આદેશ આપ્યો હતો. વકીલે અદાલતને જણાવ્યું હતું કે, ગત 3જી ઓગસ્ટથી કથિત ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
