પહલગામ અને ગાંદરબલ જિલ્લામાં વરસાદને કારણે અમરનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી
Live TV
-
આજે કાશ્મીરની ખીણમાં ગાંદરબલ જિલ્લાના બાલટાલ અને અનંતનાગ જિલ્લામાં નુનવાન-પહલગામ રોડ પર ભારે વરસાદને કારણે વહીવટીતંત્ર દ્વારા અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે યાત્રાના માર્ગો પર હવામાન સારું થયા પછી જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. છેલ્લા અહેવાલો આવ્યા ત્યાં સુધી લગભગ 85,000 ભક્તોએ ગઈકાલે સાંજે ભગવાન શિવની પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી
આ દરમિયાન, નકલી પરમિટ ધરાવતા 300 થી વધુ યાત્રાળુઓને જમ્મુમાં અસ્થાયી વિન્ડો પર નવી નોંધણી પછી માન્ય પરમિટ આપવામાં આવી છે. આ યાત્રાળુઓને ટ્રાવેલ એજન્સીઓ દ્વારા નકલી રજીસ્ટ્રેશન દ્વારા છેતરવામાં આવ્યા હતા. અગાઉ, 7,000 થી વધુ શ્રદ્ધાળુઓની આઠમી ટુકડી આજે વહેલી સવારે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી નીકળી હતી.
