પુલવામાના શહીદ જવાનોને સલામ: "અમે ભૂલ્યા નથી, અમે છોડ્યા નથી"
Live TV
-
"तुम्हारे शौर्य के गीत, कर्कश शोर में खोये नहीं। गर्व इतना था कि हम देर तक रोये नहीं।"
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા પુલવામાં હુમલામાં શહીદ થયેલા CRPFના 40 જવાનોની શહાદતને આજે દેશ યાદી કરી રહ્યો છે. આજે તે શહીદ જવાનોની પહેલી વરસી છે. આ શહીદોની સ્મૃતિમાં બનેલા સ્મારકનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું... લેથપોરા છાવણી ખાતે ઉભા કરવામાં આવેલા સ્મારકમાં જવાનોની તસ્વીરો પણ રાખવામાં આવી છે.. જૈશ-એ- મોહમ્મદના આતંકવાદી આદિલ અહમદ દારે વિસ્ફોટકોથી ભરેલી કાર સુરક્ષા દળોના કાફલા સાથે ટકરાવી હતી. તેની નજીકની છાવણીમાં જ આ સ્મારક ઉભું કરવામાં આવ્યું છે.. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા
પહેલી વરસી પર આજે દેશ શહીદ જવાનોને સલામ કરી રહ્યો છે..કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ પુલવામાના શહીદ જવાનોની પ્રથમ વરસી પર શ્રદ્ધાંજલિ પાઠવી અને લખ્યું કે ભારત તેમના બલિદાનને ક્યારેય ભૂલશે નહીં, અને આતંકવાદ સામે લડત ચાલુ રાખવા માટે અમે કટિબદ્ધ છીએ અને સમગ્ર રાષ્ટ્ર એકતાપૂર્વક આતંકવાદના સામના માટે ઉભુ છે..CRPFએ પણ પોતાના શહીદ જવાનોને યાદ કર્યા છે અને ટ્વીટ કરીને લખ્યું કે "અમે ભૂલ્યા નથી, અમે છોડ્યા નથી"..મહત્વનું છે કે 14 ફેબ્રુઆરીએ જ્યારે હુમલો થયો હતો, ત્યારે પણ CRPFએ કંઈક આવુ જ ટ્વીટ કરતા લખ્યું હતું કે "અમે ભૂલીશું નહીં"