Skip to main content
Settings Settings for Dark

પ્રચારનો સમય ઘટાડવા બદલ મમતા બેનરજીએ ચૂંટણી પંચની આલોચના કરી

Live TV

X
  • ચૂંટણી પંચના નિર્ણયને તેમણે ગેરબંધારણીય, પક્ષપાતી અને અનૈતિક ઠેરવ્યો હતો. જોકે, અમિત શાહના રોડ શો પર થયેલા હુમલાને મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસના રાજમાં ગુંડારાજ ચરમસીમાએ છે.

    પશ્ચિમ બંગાળમાં પ્રચારનો સમય ઘટાડવા બદલ મમતા બેનરજીએ ચૂંટણી પંચની આલોચના કરી હતી. ચૂંટણી પંચના નિર્ણયને તેમણે ગેરબંધારણીય, પક્ષપાતી અને અનૈતિક ઠેરવ્યો હતો. જોકે, અમિત શાહના રોડ શો પર થયેલા હુમલાને મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસના રાજમાં ગુંડારાજ ચરમસીમાએ છે. બીજી તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાના રોડ શોમાં થયેલા હોબાળા અને ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના કિસ્સામાં મમતા સરકારને જવાબદાર ઠેરવી હતી. અમિત શાહે કહ્યું કે, ભાજપ તો પૂરા દેશમાં ચૂંટણી લડી રહી છે. પરંતુ હિંસા માત્ર બંગાળમાં થઈ રહી છે. કોલકાતામાં મંગળવારે થયેલી ઘટનાના વિરોધમાં ભાજપે દિલ્હીના જંતરમંતર અને મુંબઈના નરીયાન પોઈન્ટ પર દેખાવો કર્યો હતો. તો કોલકાતામાં પણ તૃણમૂલ કોંગ્રેસ ડાબેરીઓએ દેખાવો કર્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply