પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રજોગ સંબોધન કરશે
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આજે સાંજે સાત વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. રાષ્ટ્રપતિના સંબોધનનો પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદ આકાશવાણીના જે–તે કેન્દ્રો પરથી આજે રાત્રે 9.30 પ્રસારિત થશે. પ્રથમ હિંદીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં પ્રસારિત થનાર રાષ્ટ્રજોગ સંબોધન આકાશવાણી અને દૂરદર્શનની બધી જ ચેનલો પરથી પ્રસારિત થશે.
