પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સેલસુરા પાસે થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી છે. ટ્વીટ્સની શ્રેણીમાં પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું, "મહારાષ્ટ્રના સેલસુરા પાસે થયેલા અકસ્માતને કારણે થયેલી જાનહાનિથી દુઃખી છું. દુઃખની આ ઘડીમાં, મારા વિચારો તે લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી સાજા થાય.
પ્રધાનમંત્રી એ જાહેરાત કરી છે કે, PMNRF તરફથી રૂપિયા 2 લાખ દરેક વ્યક્તિના નજીકના સગાઓને આપવામાં આવશે જેમણે સેલસુરા નજીક અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. ઉપરાંત ઇજાગ્રસ્તોને રૂ. 50 હજાર આપવામાં આવશે.
