પ્રધાનમંત્રીએ બાજરીના બીજની 150 થી વધુ જાતોને સાચવવા માટે લહારીબાઈના પ્રયાસોની પ્રશંસા કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ડિંડોરીની 27 વર્ષીય આદિવાસી મહિલા લહારીબાઈને બાજરીની બ્રાન્ડ એમ્બેસેડર બનવા બદલ પ્રશંસા કરી છે. તેણીએ બાજરીના બીજની 150 થી વધુ જાતો સાચવી રાખી છે.
ડીડી ન્યૂઝના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું કે “લહારીબાઈ પર ગર્વ છે, જેમણે શ્રી અન્ન પ્રત્યે નોંધપાત્ર ઉત્સાહ દર્શાવ્યો છે". તેણીના પ્રયત્નો બીજા ઘણા લોકોને પ્રોત્સાહિત કરશે.
ભારત દેશ સહિત વિશ્વમાં બાજરીના પાકનું વાવેતર થાય છે.આ બાજરીના લોટમાં કેલ્શિયમ , મેગ્નેશિયમ અને વીટામીન - બી ભરપુર પ્રમાણ માત્રામાં હોય સંયુક્ત રાષ્ટ્ર સંઘે 2023 ના વર્ષને બાજરી વર્ષ તરીકે જાહેર કર્યુ છે અને લોકો બાજરીને આહારમાં સામેલ કરે તેવી અપીલ કરી છે .
