પ્રધાનમંત્રીએ બિજનોરમાં વર્ચુઅલ માધ્યમ દ્વારા મતદાતાઓને સભા સંબોધિત કરી
Live TV
-
ભારતના પાંચ રાજ્યો ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં વિધાનસભા ચુંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યા છે. બધી જ પાર્ટીઓ પોતાના ઉમેદવારો માટે પ્રચાર કરી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન ગોપાલ કાર્યક્રમ થકી બિજનોરમાં વર્ચુઅલ માધ્યમ દ્વારા મતદાતાઓને સભા સંબોધિત કરી હતી. સાથે પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરાખંડના દહેરાદુન અને હરિદ્વારના મતદાતાઓ માટે વિજય સંકલ્પ સભાને પણ સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચુંટણી માટે ૪૫ નવા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જયારે, અપના દળ સોનેવાલ અને નિષાદ પાર્ટીએ પણ ઉમદેવારોના નામ જાહેર કર્યા છે.
