પ્રધાનમંત્રી આજે દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહ સમારંભના સમાપન કાર્યક્રમને સંબોધશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહ સમારંભના સમાપન કાર્યક્રમને સંબોધન કરશે. આ દરમિયાન તેઓ દિલ્હી યુનિવર્સિટી ,કોમ્પ્યુટર સેન્ટર, ટેકનોલોજી ભવન અને એકેડેમી બ્લોકનો શિલાન્યાસ કરશે. આ ભવન યુનિવર્સિટીના ઉત્તર કેમ્પસમાં તૈયાર થશે.દિલ્હી યુનિવર્સિટીની સ્થાપના 1લી, મે 1922માં થઇ હતી.
100 વર્ષ દરમિયાન આ યુનિવર્સિટીએ રાષ્ટ્ર નિર્માણમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. વર્તમાનમાં તેમા 86 વિભાગ, 90 કોલેજો અને 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે ,તેઓ આ સમારોહમાં સામેલ થવા ઉત્સુક છું. તેમણે કહ્યું કે,શિક્ષણના મુખ્ય કેન્દ્રના રૂપમાં ડી.યૂ. એક સદીથી પ્રતિભાઓનું પોષણ અને બોધ્ધીક વિકાસને ઉત્તેજન આપવામાં અગ્રેસર રહ્યું છે.
